આ 4 અભિનેત્રીઓ સાચા પ્રેમ માટે રહી તડપતી કોઈની સાથે ના કર્યા લગ્ન આજે પણ છે કુંવારી જૂઓ આ તસવીરોમાં કઈ છે આ 4 અભિનેત્રીઓ….
ફિલ્મ ઈન્ડસ્ટ્રીની વાત કરીએ તો અહીં ઘણી એવી લવ સ્ટોરી છે જે ઘણી ફેમસ થઈ ગઈ પરંતુ ક્યારેય પૂરી થઈ નથી અને જેનું દર્દ એ લોકોના મનમાં એટલું બધું છે કે તે બધા આજ સુધી સિંગલ છે. પ્રેમ ન મળ્યા પછી તેણે લગ્ન પણ કર્યા નથી. અને આજ સુધી તે સિંગલ રહીને પોતાનું જીવન પસાર કરી રહી છે. ચાલો જાણીએ કોણ છે આ અભિનેત્રીઓ….
સુરૈયા.. બોલિવૂડ જગતમાં 80ના દાયકાની હિરોઈન સુરૈયાએ ફિલ્મોમાં પગ મૂક્યો અને સમગ્ર ઈન્ડસ્ટ્રીને દિવાના બનાવી દીધી. ઘણા લોકો તેમની માદક સુંદરતા, કિલર લુકના દિવાના હતા. પરંતુ સુરૈયાનું હૃદય માત્ર દેવ આનંદ માટે જ ધડકતું હતું. બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા. પરંતુ આ બંનેની લવસ્ટોરીમાં વિલન સુરૈયાની દાદી બની હતી. તેણે દેવ આનંદ અને સુરૈયાના આ સંબંધોને બિલકુલ સ્વીકાર્યા નહીં.
કારણ કે બંને અલગ-અલગ ધર્મના હતા. જો કે દેવ આનંદ સુરૈયા માટે બધું જ છોડી દેવા તૈયાર હતા, પરંતુ સુરૈયા પોતાના પરિવારના સભ્યોના કારણે પાછળ હટી ગયા, જેના કારણે દેવ આનંદે તેને કાયર પણ કહ્યો. વર્ષ 1951માં તેમના પ્રેમનો અંત આવ્યો અને દેવ આનંદે કલ્પના કાર્તિક સાથે લગ્ન કર્યા. પરંતુ સુરૈયા જીવનભર કુંવારી રહી અને લગ્ન ન કર્યા.
અમીષા પટેલ.. લિવૂડ ફિલ્મ કહો ના પ્યાર હૈથી બોલિવૂડમાં એન્ટ્રી કરનાર અમીષા પટેલે બોલિવૂડની ઘણી મોટી ફિલ્મોમાં કામ કર્યું હતું. ગદર ફિલ્મ તેની કરિયરની હિટ ફિલ્મ હતી. જ્યારે અમીષાએ પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી ત્યારે તેનું નામ બોલિવૂડના પ્રખ્યાત નિર્દેશક વિક્રમ ભટ્ટ સાથે જોડાયું હતું. તેમના સંબંધો પણ જાણીતા હતા.
બંનેએ લગભગ 5 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા, ત્યારબાદ વર્ષ 2007માં બંને એકબીજાથી અલગ થઈ ગયા. વિક્રમથી અલગ થયા બાદ અમીષાએ કનવ પુરી નામના બિઝનેસમેનને ડેટ કરી હતી. પરંતુ તેમનો આ સંબંધ પણ લાંબો સમય ટકી શક્યો નહીં અને ત્યારથી લઈને અત્યાર સુધી અમીષા એકલા જ જીવન જીવી રહી છે.
તબુ.. બોલિવૂડની ટોચની અભિનેત્રીઓમાંની એક તબ્બુની ફિલ્મી સફર ઘણી સારી રહી પરંતુ તેના અંગત જીવનમાં હંમેશા પ્રેમની કમી રહી. તબ્બુ જ્યારે ફિલ્મોમાં કામ કરતી હતી ત્યારે તેને સાઉથના સુપરસ્ટાર નાગાર્જન સાથે પ્રેમ થઈ ગયો હતો. જો કે નાગાર્જુન પહેલાથી જ પરિણીત હતા, આ પછી પણ બંનેનો સંબંધ 15 વર્ષ સુધી ચાલ્યો, પરંતુ નાગાર્જુનના લગ્નને કારણે બંને એક થઈ શક્યા નહીં.
થોડા સમય પહેલા તબ્બુનું નિવેદન આવ્યું હતું કે તે અજય દેવગનના કારણે આજ સુધી સિંગલ છે. તબુએ જણાવ્યું કે અજય મારી પડોશમાં રહેતો હતો અને મારો પિતરાઈ ભાઈ સમીર આર્ય નજીકમાં રહેતો હતો. બંને હંમેશા મારા પર નજર રાખતા. કોઈ પણ છોકરો મને મળવા આવતો તો બંને તેને ડરાવી ધમકાવીને ભગાડી જતા. આ જ કારણ છે કે હું આજ સુધી સિંગલ છું.
પરવીન બાબી.. પરવીન બાબી બોલિવૂડની બોલ્ડ સુંદરીઓમાંથી એક હતી. તેને તેના સમયના સૌથી બોલ્ડ સીન કરવાનો ખિતાબ મળ્યો હતો. બોલિવૂડ ફિલ્મોમાં એક સમય એવો હતો જ્યારે હિરોઇનો સંપૂર્ણ રીતે ઢંકાયેલી રહેતી હતી, પરંતુ ત્યારે પરવીને બિકીની પહેરીને સીન્સ આપ્યા હતા અને ફોટોશૂટ પણ કરાવ્યું હતું. પરવીનને તેના જીવનમાં ઘણી ખ્યાતિ મળી પરંતુ તેનું નસીબ પ્રેમના મામલામાં થોડું રફ નીકળ્યું.
પરવીનના જીવનમાં ત્રણ લોકો આવ્યા પરંતુ કોઈની સાથે પણ તેનો સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં. પહેલા પરવીનનું નામ ડેની સાથે જોડાયું હતું. પરંતુ ટૂંક સમયમાં જ તેમનો સંબંધ તૂટી ગયો. તે પછી પરવીનના જીવનમાં કબીર બેદીનો પ્રવેશ થયો. પરંતુ કબીરે તેને પણ દગો દીધો. જે બાદ પરવીનને બોલિવૂડના ફેમસ ડાયરેક્ટર-પ્રોડ્યુસર મહેશ ભટ્ટ સાથે પ્રેમ થઈ ગયો, બંને લિવ-ઈન રિલેશનશિપમાં રહેવા લાગ્યા.
પરંતુ પછી ખબર પડી કે પરવીનને પેરાનોઈડ સ્કિઝોફ્રેનિયા નામની બીમારી છે. આમાં, દર્દી એવી વસ્તુઓને જુએ છે જે વાસ્તવિકતામાં નથી. તેની કલ્પનાઓ તેને સાચી લાગે છે. જેના કારણે પરવીનની હાલત ખરાબ થઈ ગઈ હતી અને વર્ષ 2005માં તેનું મૃત્યુ થઈ ગયું હતું.
Disclaimers- matters given in this article is totally based on media reports, astrology beliefs and Ayurveda principles.. therefore in certain cases it may not be apply for all.. viewers have to see this with their own intellectuals and knowledge..